સાબરકાંઠાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યુ ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ NQAS પ્રમાણપત્ર
સાબરકાંઠાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યુ ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ NQAS પ્રમાણપત્ર
****
સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યુ*
આરોગ્ય વિભાગ ભારત સરકાર દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ આપતી જુદી- જુદી સંસ્થાઓને નેશનલ કવોલિટિ એશ્યોરન્સ સર્ટીફિકેટ આપે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિર પેથાપુર, વકતાપુર, વિખરણ, જાડીસીંબલ, લીખી, ટોલડુંગરી, સાપાવાડા, સલાટપુર,ધોઇ,માંકડી,હાથરોલ, બડોદરા અને વીરપુર, મીઠીબીલી, અર્બનહેલ્થ સેન્ટર-1, બાલીસણા.આંતરસુંબા, અને પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS અંતર્ગત ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ મોરપીચ્છનો ઉમેરો થયો છે. આ સાથે જિલ્લામાં કુલ 46 આયુષ્માન આરોગ્ય મંદિર- સબસેન્ટર, 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો , અર્બન હેલ્થ સેંટર-1અને 1સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી કુલ 86 આરોગ્ય સંસ્થાઓએ રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે. જિલ્લાના કર્મયોગી અધિકારી-કર્મચારીઓના અથાગ પ્રયાસોથી સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
જિલ્લામાં ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારિશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્રારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. NQAS માટે રાષ્ટ્રીય કક્ષાએથી ટીમની નિમણુક કરવામા આવે છે. આ અંતર્ગત નક્કી કરેલ સેન્ટરો ખાતે મુલાકાત લઇને ચેકલિસ્ટ મુજબ જરૂરી મુદ્દાઓની ચકાસણી થાય છે. જેનો મુખ્ય આશય દર્દીઓને ગુણવતાસભર સેવાઓ આપવાનો છે.
આ માટેના નિયત માપદંડોમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરુરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કિશોર-કિશોરીઓને લગતી સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, વિવિધ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આરોગ્ય સારવાર, રોગચાળાને લગતી સેવાઓ, વિવિધ રાષ્ટ્રિય આરોગ્ય કાર્યક્રમોના સઘન સંચાલન, નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન-સારવાર, માનસિક આરોગ્યને લગતી સારવાર- સેવાઓ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને ફાયનાન્સને લગતી વિવિધ સુવિધાઓની સઘન તપાસ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી.
નિરિક્ષકો દ્વારા દર્દીઓના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા. સાબરકાઠાં જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને આ પ્રમાણપત્ર મળવાના કારણે જન સામાન્યને ગ્રામ્ય કક્ષાએ મળતી ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ- સુવિધાઓમા ઉતરોતર વધારો થશે.
*** CMO GujaratGujarat Information
Comments
Post a Comment